કોરોનાના લીધે દેશભર માં હાહાકાર મચી ગયો છે અને 3 મે સુધી મોદી સરકાર દ્વારા લોક-ડાઉન કરી દેવામાં આવ્યું છે. સરકારે દેશભરમાં જારી લોકડાઉનમાં એક દિવસ અગાઉ આપેલી રાહતોને લઈ સ્થિતિ સ્પષ્ટ કરી છે.
સ્પષ્ટતાઓ:
- જે વૃદ્ધો ઘરોમાં છે અને બીમાર છે તેમની કાળજી લેવા આવનારને લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે.
- મોબાઈલના પ્રીપેડ કનેક્શનને રિચાર્જ કરાવવાની સુવિધા આપવામાં આવી શકે છે.
- શહેરી વિસ્તારોમાં બ્રેડ બનાવતી ફેક્ટરીઓ, મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ફ્લોર મિલો તથા દાળ મિલો ખોલી શકાશે. તેને આવશ્યક સેવાઓ હેઠળ છૂટ આપવામાં આવી છે.
- ગર્ભવતી મહિલાઓમાં લક્ષણ ન હોય તો પણ તેમની કોરોના તપાસ થશે