વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે નામીબીયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમને સવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા. કહેવાય છે કે 70 વર્ષ પછી દેશમાં ચિત્તાનું આગમન થયું છે. આવી સ્થિતિમાં પીએમ મોદી કોઈ કામ કરે અને સવાલો ઉભા ન થાય તે લગભગ અશક્ય છે.
આ અંગે રાજકારણ પણ શરૂ થયું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચિત્તાનો વીડિયો શેર કરતા ટોણો માર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચિત્તા પિંજરામાં બંધ છે અને તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ અવાજ બિલાડીના અવાજ જેવો જ છે. આ અંગે અખિલેશે આ ચિતા દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ‘બધા ગર્જનાની રાહ જોતા હતા… પરંતુ તે બિલાડીની માસીના પરિવારની નીકળી.’
નોંધપાત્ર વાત એ છે કે, જ્યાં ઘણા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, ત્યારે અખિલેશ સવારથી જ ચિત્તાની ચાલની ટીકા કરવામાં વ્યસ્ત છે. આ પહેલા પણ જ્યારે અખિલેશ યાદવે કાર્ટૂન દ્વારા લમ્પી વાયરસથી પરેશાન ગાયોની તુલના ચિત્તા સાથે કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેણે એક કાર્ટૂન શેર કર્યું, જેમાં લખ્યું હતું, આગામી જન્મ મોહ ગયા ના કીજો, મોહે ચિતા કીજો.
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएँ!
— Akhilesh Yadav (@yadavakhilesh) September 17, 2022
આ કાર્ટૂન દ્વારા અખિલેશ યાદવે દેશભરમાં ફેલાયેલા વાઈરસના કારણે ગાયોના મોત પર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં, યુપી સહિત ઘણા રાજ્યોમાં આ સમયે લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં હજારો ગાયોના મોત થયા છે. જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે આ બે ટ્વીટ વચ્ચે અખિલેશે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.