ઝારખંડના હજારીબાગના તાતીઝારિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિવાને નદીના પુલ પાસે એક ભયાનક બસ અકસ્માત થયો છે. જેમાં સાત લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં કુલ 60 લોકો સવાર હતા. બસ ગિરિડીહથી રાંચી જઈ રહી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા સીએમ હેમંત સોરેને જણાવ્યું હતું કે, તાતીઝારિયામાં બ્રિજ પરથી બસ પડી જવાથી મુસાફરોના નુકસાનથી હું દુઃખી છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
અત્યાર સુધીના અપડેટ્સ અનુસાર હજારીબાગ બસ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 4 ડઝન લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં 6 લોકોની હાલત ગંભીર છે, તેમને રિમ્સમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. વધુ ઘાયલો હોસ્પિટલ પહોંચી રહ્યા હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે.