કોરોના વાયરસના કારણે મોસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ શનિવારે ફરી દિલ્હી આવી ગઈ. દિલ્હીથી મોસ્કો જનારી ફ્લાઈટ તે સમયે અધ વચ્ચેથી પરત આવી જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને જાણ થઈ કે વિમાનમાં સવાર પાયલટમાંથી એક કોરોના પોઝિટિવ છે. અધિકારીઓએ આ જાણકારી આપી. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની એ-320 ફ્લાઈટ ફંસાયેલા ભારતીયોને પરત લાવવા માટટે મોસ્કો જઈ રહી હતી. ફ્લાઈટ ઉબેકકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પહોંચી હતી કે અધિકારીઓને જાણ થઈ કે વિમાનમાં સવાર પાયલટ કોરોના વાયરસ સંક્રમિત છે.
અધિકારીઓએ કહ્યું કે, વિમાનમાં કોઈ યાત્રી સવાર હતું નહીં. જાણકારી પ્રાપ્ત થતા જ વિમાનને તરત પરત આવવાનું કહેવામાં આવ્યું. ફ્લાઈટ શનિવારે બપોરે 12.30 વાગ્યે પાછી દિલ્હી ફરી. વિમાનમાં સવાર ચાલક દળના સભ્યોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે અન્ય ફ્લાઈટ મોકલવામાં આવશે. આ પહેલા ઘરેલૂ ફ્લાઈટમાં પણ બે કોરોના સંક્રમિતો મળી આવ્યાના મામલા સામે આવ્યા હતા. કેન્દ્રએ 25 મે સોમવારના રોજથી દેશમાં ઘરેલૂ હવાઈ સેવાની પરવાનગી આપી હતી. પરવાનગી મળ્યા પછી બે ફ્લાઈટોમાં કોરોના દર્દી મળ્યા હતા. દિલ્હી-લુધિયાનાની એક ફ્લાઈટમાં મોજૂદ એરલાયન્સનો એક કર્મચારી કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. ત્યાર પછી વિમાનમાં સવાર અન્ય મુસાફરોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા.
આ ઉપરાંત ચેન્નઈ-કોયમ્બટૂરની ઈન્ડિગો ફ્લાઈટમાં પણ એક પેસેન્જર કોરોના વાયરસ સંક્રમિત પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી ઈન્ડિગો વિમાનના દરેક ક્રૂ મેમ્બરોને 14 દિવસ માટે ઉડાન ભરવામાં રોકી દેવામાં આવ્યા હતા. એરબસ એ-320 પાછી 12.30 વાગ્યે દિલ્હી પહોંચી. નિયમ અનુસાર, ક્રૂના દરેક મેમ્બરોને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. હવે આ ફ્લાઈટને સેનેટાઈઝ કરવામાં આવશે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને લેવા માટે બીજી ફ્લાઈટ મોકલવામાં આવશે. જણાવી દઈએ કે, એર ઈન્ડિયા વંદે માતરમ મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અલગ અલગ દેશોથી 50 હજારથી વધારે લોકોને પાછા લાવવામાં આવ્યા છે. જ્યારે 2 લાખથી વધારે લોકોએ ભારત પરત આવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.