IndiGo aircraft : ઈન્ડિગો એરક્રાફ્ટની મોટી બેદરકારી સામે આવી છે. પ્લેનમાં સવાર એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે દિલ્હી એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાના બે પ્રયાસો થયા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બાદમાં પ્લેનને ચંદીગઢ તરફ વાળવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈન્ડિગો પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. વાસ્તવમાં શનિવારે અયોધ્યાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકી ન હતી. પરંતુ નવાઈની વાત એ છે કે વિમાનમાં માત્ર બે મિનિટનું ઈંધણ બચ્યું હતું.
ભયંકર અનુભવો શેર કર્યા
આ પ્લેનમાં સવાર એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ભયાનક અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. આ પછી પ્લેનને ચંદીગઢ તરફ વાળવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈન્ડિગો પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) પોલીસ સતીશ કુમાર પણ આ જ પ્લેનમાં સવાર હતા.
ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ લેન્ડ થઈ શકી ન હતી
તેમણે જણાવ્યું કે ઈન્ડિગોની આ ફ્લાઈટ 13 એપ્રિલે બપોરે 3.25 વાગ્યે અયોધ્યાથી રવાના થઈ હતી. સાંજે 4.30 વાગે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ લેન્ડિંગની લગભગ 15 મિનિટ પહેલા પાયલોટે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને લેન્ડ કરી શકાઈ નથી. વિમાન દિલ્હીના આકાશમાં ચક્કર મારતું રહ્યું.
પ્લેનમાં માત્ર 45 મિનિટનું ઈંધણ બચ્યું હતું
કુમારના કહેવા પ્રમાણે, પાયલટે 4.15 કલાકે મુસાફરોને જાણ કરી કે પ્લેનમાં માત્ર 45 મિનિટનું ઈંધણ બચ્યું છે. આ દરમિયાન મુસાફરોના હૃદયના ધબકારા વધી ગયા હતા. પ્લેન બે વખત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું ન હતું. બાદમાં પાયલોટે સાંજે 5.30 વાગ્યે જાણ કરી કે તે પ્લેનને ચંદીગઢ તરફ ડાયવર્ટ કરી રહ્યો છે. આ દરમિયાન અનેક મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોની તબિયત લથડવા લાગી. ક્રૂ મેમ્બરમાંથી એકની હાલત ખરાબ થઈ ગઈ.