નવી દિલ્હી : કોરોના સંકટ દરમિયાન, મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પરત ફર્યા છે. આવી સ્થિતિમાં કામદારો સાથે રોજગારનું સંકટ સર્જાયું છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનું નામ ‘ગરીબ કલ્યાણકારી રોજગાર’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને આ યોજના શરૂ કરશે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારામણે 18 જૂન, ગુરુવારે મીડિયાને આ યોજના વિશે માહિતી આપી.
આ યોજના અંતર્ગત દેશના જુદા જુદા ભાગોથી તેમના પોતપોતાના ગામોમાં સ્થળાંતર કરતા પરપ્રાંતિય મજૂરોને રોજગારી મળી રહેશે. આ સાથે દેશના છ રાજ્યોના 116 જિલ્લામાં અભિયાનની શરૂઆત કરવામાં આવશે. 20 જૂનથી અભિયાન શરૂ કરવા પ્રસંગે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સંબંધ મંત્રાલયના મંત્રીઓ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.
કયા રાજ્યમાં કેટલા જિલ્લા
50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનાર આ યોજના અંતર્ગત કામદારોને 25 પ્રકારના કામ આપવામાં આવશે. આ યોજનાથી જે રાજ્યોને લાભ થશે તેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા શામેલ છે. 25 હજાર પરપ્રાંતિય મજૂરોને લાભ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે, મજૂરોનું કૌશલ્ય મેપિંગ કરવામાં આવ્યું છે.