CAA Online Portal: નાગરિક સુધારો અધિનિયમ એટલે કે CAA લાગુ. આ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે CAA માટે અલગ વેબ પોર્ટલ બનાવ્યું છે. આવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં CAA માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
શું કરવાની જરૂર પડશે?
CAA પોર્ટલ પર ભારતમાં નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે તમારે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દસ્તાવેજ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન બાદ સરકારી તપાસ થશે. જો તમારા તમામ દસ્તાવેજો સાચા જણાશે તો તમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
CAA કાયદો શું છે
CAA કાયદો વર્ષ 2019માં બનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત પાડોશી દેશોમાં રહેતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. જેમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દલિત લઘુમતીઓને કોઈપણ દસ્તાવેજ વિના ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ અંતર્ગત 6 લઘુમતી એટલે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકશે. આ માટે, ફક્ત તે જ લઘુમતીઓ અરજી કરી શકશે, જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હતા.