આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક પરિવારના ચાર સભ્યોએ કથિત રીતે આત્મહત્યા કરી છે, જ્યારે એક સભ્ય હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ ઘટના વિશાખાપટ્ટનમના અનાકાપલ્લે જિલ્લામાં બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ શિવ રામકૃષ્ણ (40), તેમની પત્ની માધવી (38) અને બે પુત્રીઓ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે તેમની ત્રીજી પુત્રી હોસ્પિટલમાં દાખલ છે.
આર્થિક સંકડામણના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાની પોલીસને શંકા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે રામકૃષ્ણ ગુંટુર જિલ્લાના તેનાલી નગરનો રહેવાસી હતો અને વ્યવસાયે સુવર્ણકાર હતો. તે થોડા વર્ષો પહેલા કામ માટે અનાકાપલ્લે શહેરમાં આવ્યો હતો અને અહીં એક ફ્લેટમાં પરિવાર સાથે રહેવા લાગ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે પીડિત પરિવારે ગુરુવારે રાત્રે કોઈ ઝેરી પદાર્થ ખાધો હશે, ત્યારબાદ તેમના ચાર સભ્યોના મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.