Freeship Card Yojna: સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ કી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી છે.
ભારત સરકાર દ્વારા અનુસુચિત જાતી અને જનજાતી ના વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના ચલાવવામાં આવે છે, જેમાં વિધાર્થીઓ ફ્રી શિપ કાર્ડ બનાવીને તેના ઉપયોગથી કોઈપણ પ્રાઈવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં મફત એડમીશન મેળવી શકે છે.ફ્રી શીપ કાર્ડ યોજનાની મદદથી અનુસુચિત જાતિના વિધાર્થીઓ કોલેજ ફી, સાથે ટ્યુશન ફિ અને હોસ્ટેલ ફી પણ ચુકવવાની રહેતી નથી. આ યોજના અંતર્ગત ફી નું ભારપાન કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કરશે.
Freeship Card શું છે?
ભારત સરકારની પોસ્ટ મેટ્રીક યોજના અંતર્ગત અનુસુચિત જાતીના વિધાર્થીઓ માટે કોઇપણ પ્રાઈવેટ કોલેજ માં ફ્રી માં એડમીશન મળે છે. હવે આ યોજનામાં તમારે ” ફ્રી શીપ કાર્ડ ” માટે જિલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે રજી કરવાની રહેશે. ત્યારબાદ તમે Free Ship Card ની મદદથી તમે જે તે સેલ્ફ ફાયનાન્સ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવવાં મેળવી શકશો.
Freeship Card યોજના માટે અરજી કરવા આ દસ્તાવેજની જરૂર રહેશે.
આધારકાર્ડ અને રેશનકાર્ડ ની નકલ
જાતીનું પ્રમાણપત્ર ( મામલતદાર અથવા સમકક્ષ અધિકારીનું
L.C ( લિવિંગ સર્ટીફિકેટ) ની નકલ
૧૨ પાસ માર્કશીટ ની નકલ
વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
બેંક ખાતાની પાસબુક ની નકલ
પાછળના વર્ષનો આવકનો દાખલો
જો વિધાર્થીના માતા કે પિતા નોકરી કરતા હોય તો કચેરી/સંસ્થાનો ગત વર્ષનો આવકનો દાખલો
જો SSC બાદ કોઈપણ વર્ષ ડ્રોપ પડેલ હોય અને તે ૧ વર્ષ કરતા વધુ સમયગાળો હોય અને તે સમયગાળામાં નોકરી અથવા કોઈપણ પ્રકારની શિષ્યવ્રુત્તિ મેળવેલ નથી તે અંગેનું એકરાર નામુ રજુ કરવાનું રહેશે.
Freeship Card ઓનલાઈન અરજી
ફ્રી સીપ કાર્ડ યોજના માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે તમે Freeship Card Form ઉપર આપેલ લીંક દ્વારા ડાઉનલોડ કરી અથવા જિલ્લાની સમાજ ક્લ્યાણ કચેરી ખાતેથી ફોર્મ મેળવી તેની સંપુર્ણ વિગત ભરી, જરુરી ડોક્યુમેન્ટ જોડી, આ ફોર્મ ને જીલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે જમાં કરવાનું રહેશે.
ફ્રી શીપ કાર્ડ ફોર્મ જમાં કરાવ્યા બાદ ૧ અઠ્વાડીયામાં તમારુ ફોર્મ બરાબર હશે અને તમે FreeShip Card Yojana ને લાયકાત તો તમને ફ્રિ શીપ કાર્ડ મળી જશે.
જો વિધાર્થીનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયા બાદ જો Freeship card Gujarat SC અને ST કેટેગરીના વિધાર્થી આ યોજના અંતગર્ત ફ્રિ શીપ કાર્ડ મેળવશે તો જો જે તે સંસ્થા દ્વારા ચાલુ સત્રની ફી લિધેલ હોય તો આ યોજના અંતર્ગત વિધાર્થીને તેની ફી ની રકમ પરત કરવાની થશે.
Freeship Card માટે આવક મર્યાદા કેટલી છે ?
ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે વિધાર્થી ના કુટુબની આવક મર્યાદા ૨.૫૦ લાખ થી વધુ ના હોવી જોઈએ.
Freeship Card માટે અરજી ક્યા કરવાની રહેશે ?
Gujarat Freeship Card માટે તમારે જીલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે ફોર્મ જમાં કરવાનું રહેશે.
વિધાર્થી દ્વારા ડિજીટલ ગુજરાત www.digitalgujarat.gov.in પોર્ટલ મારફત ઓનલાઇન ફોર્મ ભરવામાં આવે છે. જેથી જે-તે સ્કૂલ/કોલેજ ફોર્મની વિગતો મંજૂર કરી જિલ્લા કચેરીમાં મોકલી આપે છે. ત્યારબાદ સંબંધિત જિલ્લા કચેરી ફોર્મ તથા ડોક્યુમેન્ટસ ચકાસણી કરી વિધાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા સ્કોલરશીપ જમા કરાવે.