પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે પોતે જ લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો, ત્યારપછી ગૌતમ ટિકિટની રેસમાંથી બહાર છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, ‘મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાજીને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે જેથી કરીને હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
ગૌતમ ગંભીર માર્ચ 2019 માં ભાજપમાં જોડાયો હતો અને ત્યારથી દિલ્હીમાં પાર્ટીનો એક અગ્રણી ચહેરો છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને હરાવ્યા હતા. તેઓ 6,95,109 મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. ગંભીર હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફ્રેન્ચાઈઝીનો ટીમ મેન્ટર છે અને મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત સાથે કામ કરે છે. ગંભીરના નેતૃત્વમાં KKR 2012 અને 2014માં IPL ચેમ્પિયન બની હતી. આ વર્ષની IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.