દેશ માં ભયંકર મંદી માં ફસાયેલા રિયલ એસ્ટેટને ફરથી ધમધમતું કરવા માટે અને લગભગ 1600 જેટલા હાઉસિંગ પ્રોજેક્ટને ફરી શરૂ કરવા 25,000કરોડ રૂપિયાના બેલઆઉટ ફંડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
કેન્દ્રીય મંત્રીમંડળ ની બેઠક બાદ નાણાંપ્રધાન નિર્મલા સિતારમને પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો ને વિગતો આપતા જણાવ્યુ કે ઘર ખરીદદારો માટે પ્રોત્સાહક જાહેરાત કરાશે. સાથે જ મંત્રાલયના આંકડાઓ મુજબ 1600 કરતા થી પણવધારે હાઉસિંગ પ્રોજેક્ટ અને 4.58 લાખ હાઉસિંગ યુનિટનું કામકાજ હાલમાં અટકેલું પડ્યું છે, ત્યારે અધુરા પ્રોજેકટ પુરા કરવા સરકાર દ્વારા 25,000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે ,આ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમન્ટ ફંડ(એઆઇએફ)માં સરકાર 10,000 કરોડ રૂપિયા અને એસબીઆઇ તથા એલઆઇસી 15,000 કરોડ રૂપિયા ફાળવશે. આ ફંડને કારણે અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટને ભંડોળ મળતા 4.58 લાખ મકાનો તૈયાર થઇ જશે.
નિર્મલા સિતારમને સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો કોઇ ડેવલપર્સનો એક પ્રોજેક્ટ શરૂ થઇ ચૂક્યો છે પરંતુ બાંધકામ પૂર્ણ થઇ શક્યું નથી તો તેને આર્થિક સહાય મળશે, પરંતુ જેનો પ્રોજેક્ટ શરૂ થયો જ નથી તેને આ ફંડમાંથી લાભ મળશે નહીં , આમ સરકાર દ્વારા રિયલ એસ્ટેટ માટે શરૂઆત કરતા બજાર માં થોડા બદલાવ આવવાની આશા જાગી છે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.