પુણેઃ કોરોના સામે છેલ્લા કેટલાય દિવસોથી જંગ લડી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવનું આજે નિધન થયું છે. રાજીવના નિધનથી કોંગ્રેસને એક મોટો ફટકો લાગ્યો છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાં શોકની લાગણી પણ ફેલાઈ છે.
23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે જાહેર જીવનમાં યુવા કોંગ્રેસમાં જ્યારે પગલું ભર્યું ત્યારે મારી સાથે જે હતા, અલવિદા મારા મિત્ર. જ્યાં રહો, ચમકતા રહો. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાએ પણ સાતવના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે, થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સની ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવી છે