મધ્યપ્રદેશના વિદિશામાં એક ગામમાં બે મહિના પહેલા પડી ગયેલું વર્ષો જૂનું પીપળાનું ઝાડ જાતે જ ઉભું થઈ ગયુ છે. ગામના લોકો તેને દૈવી ચમત્કાર માને છે. જ્યારે, નિષ્ણાતો વૈજ્ઞાનિક તર્ક આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદમાં મૂળની ભીનાશને લીધે ગુરુત્વાકર્ષણનું બળ વધ્યું, જેણે આ ઝાડ ઉભું કર્યું. આ વૃક્ષ વિદિશાના છપરા ગામમાં આવેલા દેવી માતા મંદિર સંકુલમાં જોરદાર તોફાની પવનને કારણે પડી ગયું હતું. હવે તે પહેલાંની જેમ ફરીથી લીલુછમ થઈ ગયુ છે. વહિવટને આ અંગેની જાણ થતાં જ 5 સભ્યોની ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તેને ભૌતિક ઘટના ગણાવી હતી.
ઝાડની ડાળીઓ કાપવાથી તેના થડની દાંડી મૂળ ભાગથી ઓછી થઈ ગઈ છે. પાણી પડ્યા પછી, ઝાડની મૂળિયા ‘જામ ફ્લો પ્રક્રિયા’ દ્વારા ઝાડને પાણી પૂરું પાડે છે. તેના કારણે મૂળ જમીન તરફ ખેંચાયા અને વૃક્ષ ગુરુત્વાકર્ષણ બળના નિયમનું પાલન કરીને પહેલાંની જેમ ફરી ઉભું થઈ ગયું. ગામના લોકો તેને દૈવી ચમત્કાર માને છે. જ્યારે, વહીવટી તંત્રને ચિંતા છે કે જો દૈવી ચમત્કારની વાત લોકોમાં ફેલાય તો ભીડ એકત્રીત થવાનો ભય રહે છે. આ કોરોના ચેપ ફેલાવી શકે છે. વહીવટીતંત્રએ અહીં ભક્તોના એકઠા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા સૂચના આપી છે.