નવી દિલ્હીઃ ભારતના પશ્વિમી દરિયાકાંઠાના રાજ્યો ઉપર ત્રાટલેકા તાઉતે વાવાઝોડા બાદ નવું એક વાવાઝોડું બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં ગયેલા માછીમારો અને નાવિકોને તટ ઉપર પાછા ફરવાની અને નજીકના બંદરે સુરક્ષા સાથે હટી જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ભારતીય તટરક્ષકે પોત, વિમાન અને અન્ય અડ્ડાને યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવાનું શરૂ કર્યું છે.
હવામાન વિભાગે આવનારા 72 કલાકમાં વાવાઝોડું મજબૂત થવાની શક્યતા છે. ભારતીય તટરક્ષક બળે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના અનુસાર 22 મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ઓછા દબાણની શક્યતા છે. ભારતીય તટરક્ષક બળે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના અનુસાર 22 મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ઓછા દબાણની શક્યતા છે.
અરબ સાગરમાં ઉઠેલા તૌક્તે તોફાનના થોડા દિવસ બાદ બંગાળની ખાડીમાં યાસ તોફાન આવવાની શક્યતા જોવા મળી રહી છે. તૌક્તે વાવાઝોડુ સોમવારની રાતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉનાની નજીક ટકરાયું હતુ જેનાથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા હતા. આવનારા 72 કલાકમાં યાસ વાવાઝોડું તોફાનમાં ફેરવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે ગુરુવારે કહ્યું કે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે, જે ચક્રાવાતી તોફાનમાં ફેરવાશે. 26મેના રોજ ઓરિસ્સા- પશ્ચિમ બંગાળના તટને અસર કરી શકે છે. તેના બાદ અમ્ફાન જેવા એક વધુ તોફાનની આશંકા છે. 25મેના રોજ બંગાળના અનેક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની તીવ્રતા ખાસ કરીને ગંગાની પટ્ટી પર ધીરે ધીરે વધી શકે છે. હવામાન વિભાગે સમુદ્રના અશાંત રહેવાની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળના માછીમારોને 23મેથી કેટલાક દિવસો સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. જે લોકો સમુદ્રમાં ગયા છે તેમને જલ્દી પાછા ફરવાની અથવા તો સલામત સ્થળે ખસી જવા કહેવાયું છે.