પાનીપતઃ સ્ત્રીઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ રોજેરોજ બનતા રહે છે પરંતુ હરિયાણાના પાનીપતમાં પતિએ હેવાનિયતની હદ વટાવી હતી. આ ઘટના વિશે જાણીને ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય. અહીં એક મહિલાએ તેના પતિ વિરદ્ધ માનસિક અને શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પીડિતાએ તેના પતિ પર બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનું અને પ્રાઇવેટ પાર્ટમાં લીંબુ, ફટકડી અને દારૂ નાખવાનો સંગીન આરોપ લગાવ્યો છે. આ મામલે પીડિતાએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
માનસિક અને શારીરિક યાતના સહન કરી રહેલી આ મહિલાએ પોલીસને કાર્યશૈલી પર પણ ગંભીર પ્રશ્ન ઊઠાવ્યા છે. પીડિત મહિલાનું કહેવું છે કે આટલો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યા બાદ પણ પોલીસ તરફથી તેના પતિ વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા.
આ મામલે ડીએસપી સતીશ કુમાર વત્સે જણાવ્યુ હતુ કે, મહિલાની ફરિયાદ મળી છે. ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાના 14 વર્ષ પહેલા પાનીપતના એક ગામમાં રહેતા અરુણ નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા લગ્ન જીવનથી બંનેને બે સંતાન છે.
પીડિતાનો આક્ષેપ છે કે તેનો પતિ લગ્ન બાદથી જ આવી પીડા આપી રહ્યો છે. પરંતુ હવે તેણે તમામ હદ પાર કરી દીધી છે. પીડિતાએ પોલીસને કહ્યુ છે કે તેના પતિને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.
મહિલા સાથે ક્રૂરતાનો એક બનાવ ગત અઠવાડિયે ઇથિયોપિયામાંથી સામે આવ્યો હતો. જ્યાં નરાધમોએ બર્બરતાની હદ વટાવતા એક મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા. ઇથિયોપિયામાં એક મહિલા પર દેશના સૈનિકોએ જ 11 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. ગામના લોકોએ મહિલાને જોઈ હતી. જે બાદમાં તેણીને હૉસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. મહિલાએ લોકો સામે પોતાની આપવીતી કહી છે.