હૈદરાબાદના વેટરનરી મહિલા ડૉક્ટર પર સામૂહિક દુષ્કર્મ આચાર્યા બાદ હત્યાના કિસ્સામાં ચાર કથિત આરોપીઓનું હૈદરાબાદ પોલીસ દ્ઘારા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું જેમાં તપાસ પંચ દ્વારા આ એકાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. સિરપુરકર તપાસ પંચે પોતાનો તપાસ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. આ એન્કાઉન્ટર માટે હૈદરાબાદ પોલીસને દેશભરમાં પ્રશાંસા થઇ હતી .
તપાસ પંચની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર આરોપીઓનું કથિત એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ રિપોર્ટ તેલંગાણા હાઈકોર્ટને મોકલવાનો નિર્દેશ આપતાં નકલી એન્કાઉન્ટરમાં સામેલ દોષિતો સામે પગલાં લેવા જણાવ્યું છે.
શું હતો સમ્રગ મામલો
નવેમ્બર 2019માં, હૈદરાબાદમાં 27 વર્ષીય વેટરનરી મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર આચાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. શાદનગરમાં પુલ નીચેથી દાઝી ગયેલી હાલતમાં ડોક્ટરની લાશ મળી આવી હતી. ત્યારબાદ, હૈદરાબાદ પોલીસે પશુ ચિકિત્સક સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના સંબંધમાં ચાર આરોપી મોહમ્મદ આરીફ, ચિંતાકુંતા ચેન્નાકેશવુલુ, જોલ્લુ શિવા અને જોલ્લુ નવીનની ધરપકડ કરી હતી.
આ ચાર આરોપીઓનું એન્કાઉન્ટર હૈદરાબાદના NH-44 પર થયું હતું. તે એ જ હાઇવે પર હતો કે જેની નીચે પુલની નીચેથી 27 વર્ષીય મહિલા પશુચિકિત્સકની સળગી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે મહિલા પશુચિકિત્સકનું 27 નવેમ્બર, 2019ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. તેણી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.