ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ જમ્મુ-કાશ્મીર મુદ્દે દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં કહ્યું કે, જરૂર પડશે તો હું પોતે શ્રીનગર જઈશ. બાળ અધિકાર સમાજ કાર્યકર ઈનાક્ષી ગાંગુલીની એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હાઇ કોર્ટ આમ આદમીની પહોંચથી દૂર છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં કથિત પ્રતિબંધ છે તેના માટે જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટ સક્ષમ છે. અને જો જરૂર પડી તો હું જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈશ. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને તે ખાતરી કરવા કહ્યું કે રાજ્યમાં સામન્ય જીવન પુન: સ્થાપિત કરવામાં આવે અને આમ કરતી વખતે રાષ્ટ્રીય સલામતીને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
કોર્ટે ભારત અને જમ્મુ-કાશ્મીર સરકારને આ અંગે એક સોંગદનામુ દાખલ કરવા માટે કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ઇનાક્ષીએ જમ્મુ-કાશ્મીરમાં જેલમાં બંધ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સંબંધિત કેસની માહિતી માગી હતી જેને જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટ સમિતિ દેખરેખ રાખી રહીં છે.
સુનાવણીમાં CJIએ કોર્ટમાં કહ્યું તમે હાઇ કોર્ટમાં અપ્રોચ કરો. તેના જવાબમાં ઇનાક્ષી તરફથી વકીલ હુસેફા અહમદીએ કહ્યું કે હાઇ કોર્ટમાં અપ્રોચ કરવું જણું કઠીન છે. હાઇ કોર્ટ આમ
આદમી પહોંચથી દૂર છે. તેના પર CJIએ કહ્યું કે જો આમ આદમી હાઇ કોર્ટની પહોંચથી દૂર છે તો તે ગંભીર બાબત છે. CJI એ જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટના ચીફ જસ્ટીસ પાસે રિપોર્ટ માગી છે તેમાં તેમણે પુછ્યું છે કે શું હાઇ કોર્ટ અરજદારોની પહોંચથી દૂર છે કે નહીં?
CJI એ આગળ કહ્યું કે આ ગંભીર મુદ્દો છે હું અંગત રીતે ફોન કરી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ અને અને જો તમારો દાવો ખોટો સાબિત થયો તો તમારે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.