નવી દિલ્હી : મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવતે શુક્રવારે (1 મે) કહ્યું હતું કે, ‘ફ્લાય-પાસ્ટ’ સશસ્ત્ર દળો દ્વારા કોવિડ -19 દર્દીઓની સારવારમાં લાગેલી હોસ્પિટલો પર ફૂલ વરસાવીને અને નૌકાદળના જહાજોમાં લાઇટિંગ કરીને ‘કોરોના લડવૈયાઓ’નો આભાર વ્યક્ત કરવામાં આવશે.
જનરલ રાવતે ત્રણેય આર્મી વિંગ્સ (આર્મી, એરફોર્સ અને નેવી) ના વડાઓ સાથેની એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંકટ સાથે સામનો કરવા રાષ્ટ્રની એકતાની સાથે ઉભા છીએ અને તેણે રોગચાળાને ઝડપથી કાબુ કરવાની ક્ષમતા દર્શાવી છે. તેમણે કહ્યું, “અમે બધા ‘કોરોના યોદ્ધાઓ’નો આભાર માનીએ છીએ જેઓ આપણને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરી રહ્યા છે.” સીડીએસએ કહ્યું કે ભારતીય વાયુસેના ‘કોરોના લડવૈયાઓ’ પ્રત્યે આભાર દર્શાવવા માટે 3 મેના રોજ દેશભરમાં ‘ફ્લાય-પાસ્ટ’ કરશે.
પ્રેસ કોન્ફરન્સમાં સીડીએસ જનરલ રાવત સાથે આર્મી ચીફ એમ.એમ. નરવણે, નૌકાદળ પ્રમુખ એડમિનલ કર્મવીર સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયા પણ ઉપસ્થિત હતા. જનરલ રાઉતે કહ્યું કે, ‘કોરોના લડવૈયાઓ’નો આભાર માનવા માટે શ્રીનગર (જમ્મુ કાશ્મીર) થી તિરુવનંતપુરમ (કેરળ) સુધી અને ડિબ્રુગઢ (આસામ) થી કચ્છ (ગુજરાત) સુધી ‘ફ્લાય પાસ્ટ’ કરવામાં આવશે.