નવી દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E-1736ને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી શહેરમાં ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાનમાં ઉતરતા પહેલા જ એક મુસાફરનું મોત થઈ ગયું છે. એરલાઇનના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી છે.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરપોર્ટની મેડિકલ ટીમે લેન્ડિંગ વખતે બીમાર મુસાફરને મૃત જાહેર કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુસાફર નાઈજિરિયન નાગરિક હતો.
ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના અને વિચારો તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે. અમે હાલમાં સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ અને ફ્લાઇટના અન્ય મુસાફરોને સ્થાનાંતરિત કરવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ,” ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.