નવી દિલ્હી : વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસના કારણે અટકેલી ઘરેલુ વિમાની સેવા 25 મેથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ શરૂ કરવાના સંકેત પણ આપ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઓગસ્ટ પહેલા થોડી – ઘણી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન શરુ કરવાનો પ્રયાસ કરીશું.
નાગરિક ઉડ્ડયન પ્રધાને 23 મે, શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વંદે ભારત મિશન અંતર્ગત 25 દિવસ દરમિયાન 50,000 જેટલા નાગરિકોને વિશેષ મિશન હેઠળ પરત લાવી શકશે. તેમણે કહ્યું કે વંદે ભારત મિશનની શરૂઆત 7 મેએ થઈ હતી. આ મિશન અંતર્ગત, ફક્ત એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ જ ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
મંત્રીએ કહ્યું કે, તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે આ મહિનાના અંત સુધીમાં અમે આ મુશ્કેલ સમયમાં 30 હજાર ભારતીયોની વાપસી કરાવી શકીએ. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, ખાનગી એરલાઇન્સે પણ એક પ્રસ્તાવ મોકલ્યો, જે અમે સ્વીકાર્યો છે. વંદે ભારત ઓપરેશનમાં ટૂંક સમયમાં ખાનગી એરલાઇન્સના ખાનગી વિમાન પણ તૈનાત કરવામાં આવશે.