નવી દિલ્હી : કોરોનાના કહેર વચ્ચે ભારતમાં પ્રથમ 21 દિવસનું લોકડાઉન 14 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું હતું, પરંતુ તેને લંબાવીને 3 મે સુધીનું કરવામાં આવ્યું છે. ત્યારે હજુ દરેક લોકો એ જ ચર્ચા કરે છે કે, શું 3 મે પછી લોકડાઉન લંબાશે ? આ ચર્ચાનો અંત 3 મેના રોજ આવશે. પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે, 3 મે પછી લોકડાઉન લંબાવાની સંભાવના ઓછી છે. હકીકતમાં કોરોના વાયરસના જોખમ વચ્ચે આજે (22 એપ્રિલ) મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પ્રવાસીઓના ગ્રુપની બેઠક યોજી હતી. બેઠકમાં 3 મે પછી રાહત અને છૂટ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, ઘણા પ્રકારની છૂટ આપવા અંગે ચર્ચા શક્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 3 મે પછી લોકડાઉન લંબાવવા જેવી શક્યતા નથી. લોકડાઉન પછી શરતો સાથે છૂટ મળશે. પરંતુ સોશિયલ ડિસ્ટર્ન્સિંગ અને માસ્ક પહેરવાનું રહેશે. જીહાં ! ટ્રેન, પ્લેન અને મુસાફરીની હાલ કોઈ છૂટ મળવાની નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકડાઉન બાદ મળનારી છૂટ દરેક જગ્યાએ નહીં હોય. માત્ર ગ્રીન ઝોનમાં જ છૂટની શક્યતા છે. કંટેનમેન્ટ ઝોનના હિસાબે રેડ ઝોન વધુ પરિભાષિત કરવામાં આવ્યું છે. જીહા ! થોડા – થોડા અંતરે ઝોનનું આંકલન કરવામાં આવશે.
રેલવે અને હવાઈ સેવાનું હાલની સ્થિતમાં ચાલુ થવાનું થોડું મુશ્કેલ છે. માત્ર શહેરની અંદર જ અવર – જવરની મંજૂરી મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે સોશિયલ ડિસ્ટર્ન્સિંગ અને માસ્ક જીવન અને દિનચર્યામાં સામેલ રહેશે. જીહાં ! લાંબા સમય સુધી સોશિયલ ડિસ્ટર્ન્સિંગ અને માસ્કને રાખવામાં આવશે. ઘરેથી બહાર નીકળવાની છૂટ મળી શકે છે, પરંતુ માસ્ક પહેરવું પડશે, અંતરનું ધ્યાન રાખવું પડશે, ઓફિસમાંકામ કરવાની છૂટ પણ મળી શકે છે. એક સાથે ભીડના એકઠા થવા પર પ્રતિબંધ જારી રહેશે. આ ઉપરાંત લગ્ન, ધાર્મિક મેળવડા જેવા સ્થળોને લઈને પણ હાલની સ્થિતિમાં કોઈ રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. મુંબઈ, દિલ્હી, નોઈડા, ઇન્દોર જેવા વિસ્તારોને લઈને ચાંપતી નજર રાખવામાં આવી શકે છે. આ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો વધારે છે. 15 મે પછી જ કોરોનાને લઈને દેશની સ્થિતિનું સારી રીતે આંકલન થઇ શકશે.