શ્રીનગર: કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે (18 જુલાઈ)એ સવારે શરુ થયેલું એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે બીજા દિવસે પણ મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે સુરક્ષા દળોએ શોપિયાંના અમ્સીપોરા ગામમાં છુપાયેલા ચારેય આતંકીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર સમાપ્ત થયા બાદ, સુરક્ષા દળોએ ચારે આતંકીઓના મૃતદેહને કબજે કર્યા હતા અને એન્કાઉન્ટર સ્થળેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.છેલ્લા ચોવીસ કલાકની અંદર સુરક્ષા દળોએ ખીણમાં સાત આતંકીઓને ઠાર માર્યા છે. ગત શુક્રવારે કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં સાત લાખનો ઈનામી જેશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની કમાન્ડર વાલિદ પણ હતો.
પોલીસને મળેલી માહિતી મુજબ, જ્યારે તેઓને વિશ્વસનીય સૂત્રો પાસેથી ખબર પડી કે કેટલાક આતંકીઓ અમ્સીપોરામાં જોવા મળ્યા છે, ત્યારે એસઓજીની સંયુક્ત ટીમે, સેનાની 62 આરઆર અને સીઆરપીએફે આ વિસ્તારની ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરી દીધું હતું. જોકે સુરક્ષા દળોએ આતંકીઓને શરણાગતિ માટે કહ્યું, પરંતુ તેઓએ તેની અવગણના કરી અને ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પહેલા કલાકમાં જ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ પછી, જ્યારે લાંબો સમય ગોળીબાર ન થયો ત્યારે સુરક્ષા દળોએ ફરીથી હત્યા કરાયેલા આતંકીઓના મૃતદેહોને શોધવા માટે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ છુપાયેલા આતંકવાદીએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ફરીથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. સતર્ક જવાનોએ ગોળીબારથી બચીને અંતિમ આતંકવાદીને પણ ઠાર કર્યો હતો.
ચારે આતંકવાદીઓ ગામમાં પશુ ભાડેમાં છુપાયેલા હતા.સુરક્ષા દળોએ ચારેય આતંકીઓની લાશ અને તેમના શસ્ત્રો લીધા બાદ ઓપરેશન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસમાં જ સુરક્ષા દળોએ કાશ્મીરમાં સાત આતંકીઓને ઠાર છે. .