સુપ્રિમ કોર્ટ સીબીઆઈના જજ જસ્ટીસ લોયાના રહસ્યમય મોત અંગે તપાસ કરવાની અલગ અલગ અરજીઓની સુનવણી શરુ કરી છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જસ્ટીસ લોયાના કેસની તલસ્પર્શી તપાસની માંગ કરી હતી.
સીબીઆઈના જજ જસ્ટીસ લોયાના રહસ્યમય મોત મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન કેસમાં જસ્ટીસ લોયાના મૃત્યુ બાદ આવેલા જજે નિર્દોષ છોડી મુકવાના મુદ્દે શંકાના દાયરામાં છે.
વર્ષ ૨૦૧૪માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનવણી કરી રહેલા સીબીઆઈના જજ બૃજગોપાલ લોયાના મૃત્યુ બાદ આવેલા જજે અમિત શાહને કેસમાં નિર્દોષ જાહેર કરી દીધા હતા. જેની વિરુદ્ધ સીબીઆઈએ આજદિન સુધી અપીલ કરી નથી. જો કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે આ કેસના તપાસની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દો હાલમાં જ સુપ્રિમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ઉઠાવ્યો હતો.
હવે અા કેસની સુનાવણી શરૂ થવાની છે સ્વાભાવિક છે કે અમિત શાહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.