રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ સમાજ પણ પોતાનો શકિતપ્રદર્શન બતાવી રહ્યા છે.ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજએ સૌથી પ્રભુત્વ ધરાવતો સમાજ છે.જે કોઇ પણ પાર્ટીને ફાયદો કરાવી શકે અને કોઇ પણ પાર્ટીને નુકશાન કરાવી શકે છે. હાર્દિક પટેલ રાજીનામાં બાદ તેમના આંદોલન સંઘર્ષના સાથીઓ ભારે નારાજગી જોવા મળી રહી છે.બીજી તરફ ભાજપ ભળી જવાના સૂચક સંકેતના પગલે એક બાદ એક સમાજના લોકો હાર્દિક પટેલ લઇ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત લેવા ચૂંટણી પહેલા ફરી એકવાર પાટીદાર સમાજ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે.
પાટીદાર સમાજના SPGના પ્રમુખ લાલજી પરમારે સરકારને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને આંદોલન સમયે કેસો પરત કરવા રજૂઆત કરીશું આ સાથે લાલજી પટેલે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકારે વચન આપ્યા બાદ પણ પાટીદારો પર કરેલા કેસો પરત ખેંચ્યા નથી આગામી વિધાનસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખી સરકારે યાદ રાખે સમાજના પ્રશ્નો ઉકેલ નહી આવે તો વોટની તાકાત બતાવીશું જો પક્ષ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવશે તેને સમર્થન આપી શું તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજનિતીમાં મુદ્દાના સમર્થન કરી ઉકેલાતા હોય તો બીજા પક્ષને સમર્થન આપીશું લાલજી પટેલ નામ ન લઇ હાર્દિક પટેલ પર નિશાન સાંઘ્તા હતા કેટલાક લોકો રાજકારણમાં સમાજની ચિંતા લઇ જોડાયા પરંતુ સમાજના પ્રશ્ન ઠેર-ઠેરને છે.SPG સંસ્થા બિનરાજ્કીય છે અને રહેશે પરંતુ સમાજના મુદ્દાના નિરાકરણ લાવવવા માટે રાજ્કીયપક્ષને સમર્થન કરીશું..