ચારાકૌભાંડના આરોપી અને RJD સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની સુપ્રિમ કોર્ટમાં ચારાકૌભાંડને સજાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એક રેલ્વે ભરતી કૌભાંડના મામલામાં CBI આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના ઘર પર દરોડા પાડ્યા હતા દિલ્હી અને પટનામાં 17 સ્થળો પર CBIના દરોડા ચાલુ છે. લાલુ યાદવની પુત્રી મીસા ભારતીના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવ પર એવો આરોપ હતો કે જયારે તે રેલ્વે મંત્રી હતા ત્યારે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તે જ કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.CBIએ 17 સ્થળો પર દરોડાની કાર્યવાહી હજુચાલી રહી છે.
CBIએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવ વિરુદ્ધ રેલવેમાં નોકરીના બદલામાં ઉમેદવારો પાસેથી જમીન લેવા બદલ કેસ નોંધાયા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.