દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીની યાદી ગૃહ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં કુલ 85 લોકોના નામ છે, જેમને આ પુરસ્કાર તેમના કાર્યક્ષેત્રમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરવા માટે તથા રાષ્ટ્ર પ્રત્યે પોતાનું જીવન સમર્પિત કરવા માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આપશે.
આ વખતે 85 હસ્તીઓમાંથી 3ને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 73ને પદ્મ શ્રીનો પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે પદ્મ વિભૂષણ પુરસ્કાર તમિલનાડુ નિવાસી સંગીત અને કળાના ક્ષેત્રે ઇલયારાજા અને મહારાષ્ટ્ર નિવાસી ગુલામ મુસ્તફા ખાનને આપવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કેરળ નિવાસી પરમેશ્વરનને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવશે.
પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતાઓની સૂચિમાં સ્નૂકર ખેલાડી પંકજ અડવાણી, આધ્યાત્મ ક્ષેત્રમાં ડૉ. ફિલપોસ, ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, સાર્વજનિક મામલે રશિયાના નિવાસી એલેક્ઝેંડર કદકિનને મરણોપરાંત, પુરાતત્વના ક્ષેત્રમાં રામચંદ્રન ગોસ્વામી, અમેરિકા નિવાસી વેદ પ્રકાશ નંદાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, લક્ષ્મણ પાઈ કલા અને પેઇન્ટિંગ, અરવિંદ પારીખને કળા અને સંગીત અને આ જ ક્ષેત્રમાં શારદા સિન્હાનું નામ છે.
પદ્મ શ્રી વિજેતાઓમાં આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટી તેમજ અરવિંદ ગુપ્તાને સન્માનીત કરવામા અાવશે.