લુધિયાણા : પંજાબના લુધિયાણા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કોરોના વાયરસ સામે લડતા દમ તોડ્યો છે. હાયક પોલીસ કમિશનર (એસીપી) અનિલ કોહલી 13 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે શનિવારે (18 એપ્રિલ ) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંજાબમાં કોરોનાથી આ 16મું મૃત્યુ છે.
આ માહિતી આપતી વખતે લુધિયાણા જિલ્લાની જનસંપર્ક કચેરીએ કહ્યું કે, ‘લુધિયાણાના મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) નું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તેમને અહીં એસપીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એસીપીના સંપર્કમાં આવેલા કેટલાક લોકોની કોરોના પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે.
એસીપીની ‘પ્લાઝ્મા ટ્રીટમેન્ટ’ પરવાનગી આપવામાં આવી હતી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચેપગ્રસ્ત એસીપીની ‘પ્લાઝ્મા ટ્રીટમેન્ટ’ કરવાની મંજૂરી હતી. કોકિડ -19 દર્દીઓના ‘પ્લાઝ્મા ટ્રીટમેન્ટ’ કરવાના નિર્ણય પછી સરકદે આ પદ્ધતિથી લુધિયાણાની હોસ્પિટલમાં એસીપીની સારવાર કરવામાં આવનાર હતી. આ માટે દાતાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસીપીની તબિયત ખરાબ થવાને કારણે 8 એપ્રિલે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 13 એપ્રિલના રોજ, તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડો.રાજેશ બગ્ગાએ એસીપીના મોતની પુષ્ટિ કરી છે. જો કે, એસીપી ક્યાંથી કોરોનાની ઝપેટમાં આવ્યા, તેની પુષ્ટિ થઈ શકી નથી.