ઉત્તરાખંડના રામનગરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ધેલા નદીમાં કાર ખાબકતાં નવ પ્રવાસીઓના મોત થયા છે. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના રહેવાસી છે.
દુર્ઘટના અંગે માહિતી આપતા કુમાઉ રેન્જના ડીઆઈજી આનંદ ભરણે જણાવ્યું કે 9 પ્રવાસીઓના મોત થયા છે અને 1 છોકરીને જીવતી બચાવી લેવામાં આવી છે. 5 લોકો હજુ પણ ફસાયેલા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ બાદ ધેલા નદીનું પાણી પુલ પર ચઢી ગયું હતું અને આ દરમિયાન ત્યાંથી પસાર થતા પ્રવાસીઓએ જોખમ ઉઠાવીને પુલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધવચ્ચે ગયા બાદ નદીના જોરદાર પ્રવાહમાં કાર ધોવાઈ ગઈ હતી.