J-K: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો છે. હુમલામાં 5 જવાનો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. ભારતીય સેના અને સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ આ વિસ્તારમાં મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા છે. સેનાના જવાનો અને સુરક્ષા દળો આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે.
સેના પર આ વર્ષનો પહેલો આતંકી હુમલો
આ વર્ષે સેના પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો આ પહેલો મોટો હુમલો છે. પુંછમાં આતંકીઓએ સેનાને નિશાન બનાવી છે. આતંકવાદીઓએ એરફોર્સના વાહનોના કાફલા પર અનેક ગોળીઓ ચલાવી છે. આ હુમલામાં 4 થી 5 જવાનો ઘાયલ થયા છે.
એરફોર્સના જવાનો પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં સૈન્યના જવાનોને ઈજા પહોંચી છે. આજે શનિવારે જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં સેનાનું એક વાહન કાબૂ બહાર ગયું હતું અને વેરીનાગ વિસ્તારમાં ખાડામાં પડી ગયું હતું. આ ઘટનામાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે લગભગ 9 લોકો ઘાયલ થયા હતા.