અમદાવાદમાં કેશ પેમેન્ટ પર મૂકાયો પ્રતિબંધ કોરોના વાયરસે સમગ્ર દુનિયાને પાટા પરથી ઉતારી દીધી છે. ભારત પણ તેનાથી ઓછું પ્રભાવિત નથી થયું. કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારો આ વાયરસને રોકવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. કોરોના વાયરસનો કહેર સહન કરી રહેલા ગુજરાતના અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે વહીવટી તંત્રએ ખરીદી કરવા માટે સંપૂર્ણ રીતે ડિજિટલ થવાનો નિર્ણય કર્યો છે. સરકારે લોકોને અપીલ કરી છે કે, તે કેશને બદલે યુપીઆઈ, એનઈએફટી, મોબાઈલ બેકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે. આ પહેલા ડબલ્યુએચઓ (World Health Organization)એ પણ આ અંગે લોકોને ચેતવ્યા હતા.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ અંગે ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે, જો તમે સંક્રમિત રોકડના સંપર્કમાં આવી જાવ તો પણ લેવડ-દેવડ બાદ પોતાના હાથ ધોઈને તમે સમસ્યાને ટાળી શકો છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભાર આપી કહ્યું હતું કે, ‘જે દેશોમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાયું છે, ત્યાંની કરન્સી નોટ કે સિક્કા હાથમાં લીધા બાદ, તમારા ચહેરા, નાક, કાન કે આંખને સ્પર્શ ન કરો.’ હજુ સુધી એ બાબતે કોઈ નક્કર રિસર્ચ નથી કે નોટોથી વાયરસ કેવી રીતે અને કેમ ફેલાય છે. પરંતુ, નોટોના મેનેજમેન્ટ સાથે સંલગ્ન રેગ્યુલેટરી સંસ્થા કરન્સી સાઈકલ એસોસિએશન (CCA)એ આ વાતનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે, બેંક નોટોથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો નથી. સીસીએ તરફથી અપાયેલા એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ‘બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી કેટલીક એડવાઈઝરીમાં કહેવામાં આવી રહ્યું છે કે, બેંકોના નોટ દ્વારા કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છે. પરંતુ સીસીએ સ્પષ્ટ કરે છે કે નોટોના મેનેજમેન્ટના સંબંધમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના સ્ટાન્ડર્ડ મુજબ આ દાવો ખોટો છે.
આરબીઆઈ ગવર્નરે એક વિડીયો સંદેશમાં કહેવાયું હતું કે, આ મહામારીથી બચાવ માટે હાલ ડિજિટલ લેવડ-દેવડ કરો. તેમણે કહ્યું કે, ‘કોરોના વાયરસના કારણે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, એવામાં લોકો ઘરે રહીને ડિજિટલ ટ્રાન્જેક્શન કરે. તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેકિડટ કાર્ડ અને મોબાઈલ એપ દ્વારા લેવડ-દેવડ કરો.’ અમદાવાદમાં 15 મેથી લાગુ થશે આ નિયમ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલા અમદાવાદમાં સંક્રમણને ફેલાતું રોકવા માટે તંત્રએ ખરીદી કરવા માટે સંપૂર્ણ ડિજિટલ થવાનો નિર્ણય કર્યો છે. કરન્સી નોટથી વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ ડિલિવરી સહિતની બધી ખરીદી માટે ડિજિટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ સંબંધમાં આદેશ બહાર પાડતા કહ્યું કે, ‘કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત કરી દેવાયું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે.’ આ નિયમ 15 મેથી લાગુ થશે