વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. પરંતુ બજેટની રજૂઆત પહેલા જ સરકારે એક એવી ભેટ આપી છે, જે સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અંતર્ગત મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મોબાઈલ પાર્ટસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી મોબાઈલ ફોનની કિંમતો ઘટી શકે છે એટલે કે તે સસ્તા થઈ શકે છે.
આયાત ડ્યુટી 15% થી ઘટાડીને 10% કરી
બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ મુજબ મોદી સરકારે બુધવારે બજેટ પહેલા મોબાઈલ પાર્ટસ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેને 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે. આ માત્ર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાને કારણે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગનો ખર્ચ પણ ઘટશે અને કંપનીઓ ફોનની કિંમતોમાં પણ ઘટાડો કરી શકે છે.
સરકારે ફોન ઉદ્યોગની માંગને સ્વીકારી
નોંધનીય છે કે મોબાઈલ ફોન ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનના ઉત્પાદનની કિંમત ઘટાડવા અને ચીન અને વિયેતનામ જેવા પ્રાદેશિક સ્પર્ધકો સાથે સમાન ધોરણે સ્પર્ધા કરવા માટે લગભગ 10 વર્ષથી આયાત ડ્યુટી ઘટાડવાનો આગ્રહ કરી રહી હતી. સંસદ.બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા જ સરકારે તેને લીલી ઝંડી આપી દીધી છે.