ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં સારા બિઝનેસ અને રોકાણના હેતુથી રોકાણકાર સમિટનું આયોજન કરી રહી છે.બુધવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં બે દિવસના યુપીએ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સમિટમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી સહિત 5000 દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે.યોગી સરકારની સત્તાનુ એક વર્ષ પૂરું થાય તે પહેલાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું,
ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ગવર્નર રામનાયક સહિતના ઘણા અનુભવી નેતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં જતાં પહેલા સવારે ટ્વિટ કર્યું હતું.તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સતત આગળ વધી રહ્યું છે.