દિલીપ પટેલ, અમદાવાદ : શેક્સપિયરે ભલે લખીને ગયા હોય કે નામમાં શું રાખ્યું છે? ગાંધીજી અને સરદાર પટેલ ભલે કહીને ગયા હોય કે તેમના સ્મારકો બનાવવા નહીં. મોદી એવું નથી માનતા. આજની રાજનીતિ કે અનીતિ કહે છે કે નામ મહત્વનું છે, કામ નહીં. મોદી હવે પરાણે વિશ્વ માનવ બનવા માંગે છે. જીવતું જગતીયું કરી રહ્યા છે. પહેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી બદલવાની સૂચના રિલાયંસના પરિમલ નથવાણીને આપી હતી. હવે અમદાવાદ મહાનગરપાલિકાની એક મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી કરી દેવાયું છે. હવે એવું બને કે ગાંધી આશ્રમ કે ગાંધીનગરના નામ પણ નરેન્દ્ર મોદી રાતોરાત રખાઈ શકે છે.
અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે મોદીએ 1987માં વચન આપ્યું ન હતું. તેઓ કર્ણાવતી કે આશાવલ કરાવી શક્યા નથી. હવે બની શરે કે અમદાવાદનું નામ મોદીવાદ કરી દેવામાં આવે.
નરેન્દ્ર મોદી તો આર એસ એસના પ્રચારક હતા. સંઘે તેમને ભાજપમાં મંત્રી બનાવ્યા હતા. સંઘ પોતે નામમાં નહીં પણ ધ્વજમાં માને છે. વ્યક્તિને નહીં ધ્વજને પ્રમાણ કરે છે. પણ મોદી ઊંધું કરી રહ્યાં છે. કાયમ ઊંધુ વાળવું એ નરેન્દ્ર મોદીનું કામ છે.
અમદાવાદના મોટેરામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ એવું નામ આપવામાં આવ્યું છે.
સ્ટેડિયમના નવા નામકરણ સાથે જ વિવાદ ઊભો થયો હતો. સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હતું, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના આઝાદીના લડાઈના સેનાપતિ સરદારનું અમાન કર્યું હતું.
1982માં 50 એકરમાં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમનું નિર્માણ 9 મહિનામાં જ કરવામાં આવ્યું હતું.
54000 લોકો 2099 સુધી આ સ્ટેડિયમ ટકી શકે તેમ હતું. તેમ છતાં તેને તોડીપાડીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ મોદીનું રાખવા માટે જ આબજો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. તેના માટે મુકેશ અંબાણીની રિલાયંસના પરિમલ નથવાણી જવાબદાર છે. સ્ટેડિયમમાં ‘અદાણી ઍન્ડ’ અને ‘અંબાણી ઍન્ડ’ને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે.
સત્તાના અહંકારમાં ભાજપવાળા ઇતિહાસ ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે ગાંધી આશ્રમને તોડીફોડીને નવો નક્કોર બનાવવામાં આવી રહ્યો છે. જે ગાંધીજીના સિધ્ધાંતની વિરૂદ્ધ છે. બની શકે કે કાંકરિયા ઝુને નરેન્દ્ર ઝુ નામ આપવામાં આવે.
બુધવારે સ્ટેડિયમનું નામ બદલાયું તેના અમુક મિનિટો પછી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપરથી ટ્વીટ કર્યું, ‘અમે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છીએ.’ બાદમાં અકળ કારણોસર એ ટ્વીટ ડિલીટ કરી દેવાયું હતું.
આવું જ એક આંદોલન પણ ડીલીટ થઈ ગયું છે. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું ત્યારે તેની સામે અતુલ પટેલે બારડોલીથી આંદોલન શરૂ કર્યું હતું. બારડોલીથી રેલી નિકળવાની હતી. ભગવા અંગ્રેજ ભાજપે રેલી ન થવા દીધી અને 12 કલાક આંદોલનકારીઓને ગોંધી રાખ્યા હતા. આવું તો ગોરા અંગ્રેજોએ પણ સરદાર પટેલ માટે કે બીજા કોઈ આંદોલન માટે કર્યું ન હતું.
હવે મણિનગર મેડિકલ કોલેજ નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાનું ભાજપના આદેશથી નક્કી થયું છે.
મોદીનું નામ આપી દેવાથી અમદાવાદના ગરીબોને કે નીચલા મધ્યમ વર્ગને દોઈ રોગ થવાના નથી એવું તો નથી .
રાજ્યના અમદાવાદ શહેરમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદની એલ જી હોસ્પિટલનું અંદાજે 100 કરોડના ખર્ચે નવીનીકરણકરાશે. મળતી માહિતિ મુજબ એલજી હોસ્પિટલને 10 માળની બનાવાશે. જૂની એલ જી હોસ્પિટલને તોડી હવે નવી ઇમારત બનાવાશે. નવી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા રખાશે.તો આ ઉપરાંત 200 કરોડના ખર્ચે 7 માળની શારદાબેન હોસ્પિટલ બનાવાશે.
શારદાબેન સાથે એલ જી હોસ્પિટલનું નવીનીકરણ થતા શહેરીજનોને વધુ સુવિધા મળશે. આગામી દિવસમાં હોસ્પિટલની ડિઝાઇન તૈયાર કરી શરૂ કરાશે કામગીરીકરી કરાશે તમામ પ્રક્રિયા.
એલ.જી. હૉસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવમાળની અત્યાધુનિક હૉસ્પિટલ બંધાશે અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને મણિનગર સ્થિત એલ.જી. હૉસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને રૂ.125 કરોડના ખર્ચે બનાવવા 7 ઓગસ્ટ 2022માં નક્કી થયું તેના થોડા મહિનામાં જ મોદી કોલેજ કરી નાંખવામાં આવી છે. નવી બિલ્ડિંગ 2025માં શરૂ થઈ શકશે. હૉસ્પિટલમાં 850 પથારીઓ છે. રોજ 3500 દર્દીઓ આવે છે. જૂનું બિલ્ડિંગ હાલ બે ભાગ માં છે. એક બે માણનું અને બીજું 4 માળનું છે. નવું મકાન 9 માળનું બનશે.
અમદાવાદ મ્યુનિસિપલ મેડિકલ એજ્યુકેશન ટ્ર્સ્ટ બનાવ્યું અસિત વોરાએ બનાવી દીધું છે. જેના દ્વારા મેડિકલ કોલેજ ચાલે છે. આ નિર્ણય ટ્રસ્ટના સૂચનથી હેલ્થ સમિતિમાં અને સ્ટેન્ડિંગમાં ઠરાવ થયો ત્યારે બધાના ધ્યાનમાં આવ્યું હતું. હવે મ્યુનિસિલપ બોર્ડમાં ઠરાવ પાસ થશે. ત્યાંથી સરકારમાં મંજૂરી લેવામાં આવશે. 3 કોલેજો ટ્રસ્ટ હેઠળ લઈ લીધી છે.
શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ હોસ્પિટલ તરીકે જાણીતી છે. જો ઈ.સ. 1954માં 60 પથારીઓ સાથે શરૂ કરવામાં આવી હતી. તેને 68 વર્ષ થયા છે. જે મિલ માલિકોએ બનાવી આપી હતી. અમદાવાદના મિલ માલિકે આ જમીન દાનમાં આપી હતી. જોકે કોલેજ અલગ જમીન પર છે.
અમદાવાદમાં 4 મોટી હોસ્પિટલો છે અને 100 જેટલા દવાખાના અને પ્રસુતિ ગૃહો કાપડ મિલ માલિકોએ બનાવી આપ્યા હતા.
વાડીલાલ સારાભાઈ – વીએસ, નગરી આંખની હોસ્પિટલ શેઠ ચીમન હરીલાલે નગરીએ બનાવી આપી હતી.
શારદાબેન હોસ્પિટલ પણ કાપડ મિલના માલિકોએ બનાવી આપી હતી. છેલ્લે કેન્સર , કિડડી અને ડેન્ટલ કોલેજ બની તે પણ મિલની જમીન પર બની છે.
મ્યુનિસિપલ શાળાઓ મિલ માલિકોએ બનાવી આપ્યા હતા.
આજના ત્યારના રાજનેતાઓએ પોતાના નામ આવી ઈમારતો પર રાખ્યા ન હતા. સરદાર પટેલના આદેશથી મોટાભાગની બિલ્ડીંગો બની છતાં સરદાર પટેલે ક્યારેય પોતાનું નામ રાખ્યું ન હતું.
આજના બિલ્ડરો, અખબારોના માલિકો, ઉદ્યોગપતિઓ, મિલા માકિલોએ અમદાવાદ માટે કોઈ યોગદાન આપ્યું નથી. જે યોગદાન આપે છે તે વેરા બચાવવા માટે દાન કરે છે. ધિરૂભાઈ અંબાણી નરોડા કાપડ મિલથી ઉદ્યોગપતિ બન્યા તેમણે કે તેમના પરિવારે અમદાવાદને કંઈ આપ્યું નથી. ગૌતમ અદાણી ભલે ભારતના સૌથી વધું કમાતા ઉદ્યોગપતિ બન્યા હોય પણ તેની ધંધાની શરૂઆત રતનપોળથી કરી હતી. પણ અમદાવાદને કંઈ આપ્યું તો નથી, લૂંટ્યું પણ છે.
હવે ગૌતમ અદાણીના રાજકિય ગુરૂ નરેન્દ્ર મોદી પોતે અમદાવાદને કંઈ વ્યક્તિગત રીતે આપ્યું નથી તેમ છતાં તેમના નામે ક્રિકેટ સ્ટેડિયમ અને મેડિલક કોલેજ બની ગઈ છે.