મહુવા : કથાકાર મોરારી બાપુની ખ્યાતિ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં છે. તેમના મુખેથી કથાનું રસપાન કરનારા શ્રોતાઓનો મોટો વર્ગ છે. હાલ આ શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે. કારણ કે, 5 ઓગસ્ટ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર ભૂમિપૂજનમાં મોરારી બાપુને આમંત્રણ મળ્યું નથી.
મળતી માહિતી મુજબ, 8 દિવસની કથામાં 16.65 લાખનું દાન આવ્યું છે, આ સાથે જ મોરારી બાપુએ દેશ વિદેશમાં 846 રામકથાઓ કરી છે. કથા કરી કરોડોનું દાન ભેગુ કરી રહેલા મોરારી બાપુને રામ મંદિર ભૂમિ પૂજનમાં આમંત્રણ ન મળતા શ્રોતામાં ગણગણાટ શરુ થઇ ગયો છે.