નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે દેશભરમાં કોરોના વેક્સીનેસન ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના કેસમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. 17,000 કરતા વધારે નવા કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 130ને પાર ગયો છે. જોકે, નવા કેસની સામે સાજા થયેલા દર્દીનો આંકડો મોટો નોંધાયો છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં નવા 17,921 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 133 લોકોએ એક દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય સાજા થયેલા દર્દીઓનો આંકડો 20,000 કરતા મોટો રહ્યો છે.
ભારતમાં 17,000 કરતા વધુ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 1,12,62,707 પર પહોંચી ગયો છે. જ્યારે વધુ 133 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 1,58,063 થઈ ગયો છે. ભારતમાં 20,652 દર્દીઓ પાછલા 24 કલાકમાં સાજા થયા છે જેની સાથે કુલ સાથે થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,09,20,046 થઈ ગઈ છે. હાલ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1,84,598 પર પહોંચી ગઈ છે.
દેશના 1.84 લાખમાંથી સૌથી વધુ 96 લાખ કરતા વધારે (96,548) એક્ટિવ કેસ એકલા મહારાષ્ટ્રમાં જ છે, જ્યારે બીજા નંબર પર કેરળ છે. કેરળમાં કુલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 37,446 છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે 2,43,67,906 ડોઝ આપવામાં આવ્યા છે. હાલ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથે 45 વર્ષથી વધુના અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે.
ICMRમુજબ 22,34,79,877 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,63,081 લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા છે.