વડાપ્રધાન મોદીએ મન કી બાત કરતાં સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, “પ્રાચીન કાળથી લઈને આજ દિવસ સુધી અનેક મહિલાઓએ દેશને વિકસિત કરવાનું કામ કર્યું છે. 1લી ફેબ્રુઆરીએ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. 1 ફેબ્રુઆરીએ કલ્પનાની સ્પેસક્રાફ્ટ દૂર્ઘટનામાં મોત નિપજ્યું હતું પરંતુ તેઓએ અનેક યુવતીઓને પ્રેરણા આપી
મોદીએ કહ્યું કે, “2018ની આ પહેલી મન કી બાત છે. બે દિવસ પહેલાં જ આપણ ગણતંત્ર પર્વને ઘણાં જ ઉત્સાહની સાથે મનાવ્યો. 10 દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યાં.”પ્રકાશ ત્રિપાઠીએ એપ પર ચીઠ્ઠી લખી, તેઓએ લખ્યું કે 1લી ફેબ્રુઆરીએ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. તેઓ લાખો ભારતીયોના પ્રેરણસ્ત્રોત છે. આપણે કલ્પના ચાવલાને ઘણી જ નાની ઉંમરમાં ગુમાવી દીધાં. નારી શક્તિની કોઈ જ સીમા નથી, કંઈપણ અસંભવ નથી. ખુશી થયા છે કે ભારતમાં આજે મહિલાઓ આગળ વધી રહી છે. દેશનું ગૌરવ વધારી રહી છે.ભરતીય વિદુષિયોની લાંબી પરંપરા રહી છે. વેદોની રચનામાં તેમનું મહત્વનું યોગદાન છે. જેવાં કે લોપામુદ્રા અને ગાર્ગી. આપણે બેટી બચાવોની વાત કરીએ છીએ પરંતુ વેદોમાં કહેવાયું છે કે એક પુત્રી 10 પુત્રની બરોબર છે.પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, ” આજે આપણી નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે. છત્તીસગઢની આદિવાસી મહિલાઓએ પણ અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. નકસલીઓ પ્રભાવિત વિસ્તારમાં અનેક મહિલાઓ ઈ રિક્ષા ચલાવી આત્મનિર્ભર છે.