નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થતો જાય છે ત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલુ છે. ત્યારે સરકારે રસીકરણ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સીનની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ રહેલા લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. ત્રીજા તબક્કાના અભિયાનમાં 18-44 વર્ષના લોકોનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે રસી લેતા પહેલા કેટલાક કામ ન કરવા જોઈએ.
રસી લેતા પહેલા આ છ કામ ન કરવા
1. અપોઇન્ટમેન્ટ લીધા વગર રસીકરણ માટે ન જાઓ. તમામ સ્લોટ્સનું બુકિંગ કોવિન રજિસ્ટ્રેશનના માધ્યમથી થઈ રહ્યું છે.
2. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવવું જોઈએ.
3. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ પ્લેટફોર્મ માટે અલગ-અલગ ફોન નંબર અને આઇડીનો ઉપયોગ ન કરવો જોઈએ.
4. વેક્સીનેશનના દિવસે આલ્કોહોલ કે પછી કોઈ માદક પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
5. વેક્સીનની સાઇડ ઇફેક્ટની સ્થિતિમાં પેરશાન ન થવું જોઈએ.
6. કોવિન પર બીજા ડોઝ માટે રજિસ્ટર કરાવવાની કોઈ આવશ્યક્તા નથી.
કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ગાઇડલાઇન
કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધાના 12થી 16 સપ્તાહ બાદ આપવામાં આવી શકાશે. તેના માટે કોવિડ પોર્ટલ આપ મેળે તારીખ જણાવી દેશે. પરંતુ એવા લોકો જેઓએ પહેલા જ પોતાની અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી લીધી છે તે ઈચ્છે તો નિયત તારીખ પર બીજો ડોઝ લઈ શકે છે. તેઓ નવી ગાઇડલાઇનના હિસાબથી તેને 84 દિવસના અંતરાળ ઉપર પણ બુક કરાવી શકે છે.
કઈ વ્યક્તિએ રસીકરણ ટાળવું જોઈએ?
– સરકારની નવી ગાઇડલાઇન મુજબ, જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે તેમણે ચાર સપ્તાહને બદલે ત્રણ મહિનાની રાહ જોવી જોઈએ.
– આ ત્રણ મહિનાની રાહ એ લોકોએ પણ જોવી પડશે જેમની પ્લાઝમા થેરપીથી ઉપચાર કરવામાં આવ્યો છે અને એવા લોકો પણ જે પહેલી વેક્સીન લીધા બાદ કોરોના સંક્રમિત થઈ ગયા હતા.
– જે લોકો કોઈ અન્ય બીમારીના કારણે હૉસ્પિટલમાં દાખલ થયા છે તેમને પણ આ સલાહ આપવામાં આવી છે કે રસીકરણ માટે ચારથી આઠ સપ્તાહની રાહ જોવે.