નવી દિલ્લી: વાહન ચાલકો માટે અગત્યના સમાચાર આવી ગયા છે. ટોલ પ્લાઝા ઉપર છાસવારે વાહનોની લાંબી લાંબી કતારો લાગતી હોય છે ત્યારે હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો (vehicle) પાસેથી ટોલ ટેક્ષ નહિ લેવામાં આવે. NHAIએ બુધવારે જાહેર કરી ગાઈડ લાઈનમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ સાથે જ ટોલ પ્લાઝા પર પીક હવર પર પ્રત્યેક વાહનને વેટિંગ ટાઈમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવમાં આવ્યો છે. જેથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર વધારે ટાઈમ વેસ્ટ ના થાય.
NHAI દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ ફાસ્ટ લાઇન ફરજિયાત બન્યા બાદ મોટાભાગના ટોલ પ્લાઝાને વાહનચાલકોની રાહ જોવી પડતી નથી વાહનોની કતાર 100 મીટર સુધી રહેતી નથી પરંતુ જો કોઈ કારણોસર ટોલ પ્લાઝા પાસે હોય તો લાંબી કતાર અને 100 મીટર છે જો 100 મીટરથી વધારે અંતર પહોંચી જાય તો ટોલ બૂથના 100 મીટરની અંદર કતાર ન આવે ત્યાં સુધી વાહનોમાંથી ટોલ લેવામાં આવશે નહીં. આ માટે, દરેક ટોલ બૂથથી 100 મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, તે ટોલ ઓપરેટરની જવાબદારી રહેશે.