કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુ પછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં રાખી રહ્યા છે તે તમામ માણસ જ છે. આમ છતા તેનો પુત્ર મુખાગ્ની આપવાનો ઈનકાર કરતો રહ્યો. તેણે લખીને આપી દીધું કે તેને પીપીઈ કીટ પહેરતા અને ઉતારતા નથી આવડતું. પતિને ગુમાવી ચૂકેલી મહિલાએ પુત્રને બચાવવા માટે અધિકારીને કહ્યું કે તમને બધુ આવડે છે, તેમે જ અમારા પુત્ર છો. પરિવાર અંતે માન્યો નહીં તો બૈરાગઢના અધિકારી ગુલાબસિંહ બધેલે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરીવાર 50 મીટર દૂર જ અંતિમ સંસ્કાર જોતો રહ્યો.
Sunday, May 19