નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી. આ વાતચીત રવિવારે વીડિયો કોલ દ્વારા થઈ હતી. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે વાતચીતને સૌમ્ય રહી હતી. ડોવાલ અને વાંગ યીએ આ વિસ્તારમાં શાંતિ જાળવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે સાથે મળીને કામ કરવા માટે વાતચીત કરી હતી.
બંને વચ્ચેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ચીની સેના તંબૂ હટાવ્યા અને ગલવાન ખીણના કેટલાક ભાગોથી પીછેહઠ કરતી જોવા મળી રહી છે. સરકારી સૂત્રોએ 6 જુલાઈ, સોમવારે આ માહિતી આપી હતી. આ વિસ્તારમાં સૈન્યની પીછેહઠનું આ પ્રથમ સંકેત છે.
The focus of the conversation between NSA Ajit Doval & Chinese FM Wang Yi was the full and enduring restoration of peace and tranquillity and to work together to avoid such incidents in future: Sources https://t.co/pPhvCqGEwh
— ANI (@ANI) July 6, 2020
સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને પક્ષના કોર કમાન્ડરો વચ્ચે થયેલા કરાર હેઠળ ચીની સૈનિકોએ પીછેહઠ કરી છે. તેમણે કહ્યું હતું કે, ચીની સેના પેટ્રોલિંગ પોઇન્ટ 14 પર મુકેલા તંબુઓ અને અન્ય બાંધકામોને દૂર કરતી જોવા મળી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ ચીની સૈનિકોના વાહનોની સમાન પ્રવૃત્તિ જોવા મળી છે. પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોમાં છેલ્લા સાત અઠવાડિયાથી ભારત અને ચીની સૈન્ય વચ્ચે અંતરાય ચાલુ છે.