જાહેર ક્ષેત્રોના બેંકોના ચાર સંગઠનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસની હડતાળ પર જવાની ધમકી આપી છે, 10 સરકારી બેંકોને ચાર બેંકોમાં વિલય કરવાની જાહેરાતનો તેઓ વિરોધ કરી રહ્યા છે.
બેંક એસોસિએશનને આપેલી નોટિસમાં અધિકારીઓના સંગઠનોએ કહ્યું હતું કે બેંકીંગ સેક્ટરમાં વિલયીકરણ અને સુધારના વિરોધમાં તેઓ હડતાળ પર જવાના છે.
30 ઓગસ્ટનાર રોજ સરકારે 10 મોટી સરકારી બેંકોને ચારમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય બાદ સરકારી બેંકોની સંખ્યા 19થી 12 થઈ હતી. આ પગલું સરકારી બેંકોને આંતરરાષ્ટ્રીય આકારની બેંક બનાવવા લેવાયું હતું. સંગઠનના એક નેતાએ કહ્યું હતું પોતાની માગણી માટે રાષ્ટ્રીયકૃત બેંકો નવેમ્બરના બીજા મહિનાથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફીસર્સ કન્ફડ્રેશન (એઆઈબીઓસી), ઓલ ઈન્ડિયા બેંક ઓફીસર્સ એસોસિએશન (એઆઈબીઓએ), ઈન્ડિયન નેશનલ બેંક ઓફીસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી), નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફીસર્સ (એનઓબીઓ)એ સંયુક્ત રીતે હડતાળની નોટિસ આપી હતી. સંગઠનોની અન્ય માગણીઓમાં પાંચ દિવસનો સપ્તાહ, રોકડ ટ્રાન્ઝેક્શનના સમયમાં ઘટાડો કરવો અને કામના કલાકોનું નિયમન કરવું સામેલ છે.