પૂર પ્રભાવિત દિલ્હીમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની હતી. ઉત્તર પશ્ચિમ જિલ્લાના મુકુંદપુરમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. દિલ્હી પોલીસે મૃતદેહોને કબજે કરીને હોસ્પિટલ મોકલી દીધા છે. કેસની તપાસ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાળકો વરસાદ બાદ એકઠા થયેલા પાણીમાં નહાવા ગયા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
આ ઘટના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. મુકુંદપુરમાં એક ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને પગલે તે ભરાઈ ગયો હતો. જેમાં ત્રણેય બાળકો ન્હાવા ગયા હતા. ત્રણેય બાળકો પાણીમાં રમતા રમતા ડૂબી ગયા હતા. માહિતી મળતા જ એક પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી ગયો અને પાણીમાં કૂદી પડ્યો. પરંતુ ત્યાં સુધીમાં બાળકોના મોત નીપજ્યા હતા. ત્રણેયની ઉંમર 13-14 વર્ષની આસપાસ છે. edit by karancparmar