કર્ણાટકના શિવમોગામાં વીર સાવરકરના પોસ્ટરે હંગામો મચાવ્યો હતો. સ્વતંત્રતા દિવસના અવસર પર હિન્દુવાદી સંગઠનો દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરનો કેટલાક મુસ્લિમ યુવકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. આ પછી કર્ણાટક પોલીસે જિલ્લાના કેટલાક ભાગોમાં નિયંત્રણો લાદી દીધા છે. હિન્દુ સંગઠનોએ સાવરકરની તસવીર હટાવવા માટે પ્રદર્શન શરૂ કર્યું છે.
મેંગલુરુના સુરતકલ જંકશન પર આવા જ બેનરને લઈને હંગામો થયો હતો. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકર્તાઓએ અહીં સાવરકરની તસવીર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ ફ્લેક્સ હટાવી દેવામાં આવ્યો હતો. અહીં એક વર્તુળનું નામ સાવરકરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેને મેંગલુરુ સિટી કોર્પોરેશન દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. બીજેપી ધારાસભ્ય વાય ભરત શેટ્ટીની માંગ પર આ સર્કલનું નામ સાવરકરના નામ પર રાખવામાં આવ્યું હતું.
Tension in #Shivmoga, #Karnataka over savarkar poster, curfew imposed #savarkar #curfew #poster pic.twitter.com/AEyPHKXRKb
— Himanshu dixit (@HimanshuDixitt) August 15, 2022
એસડીપીઆઈના સ્થાનિક નેતાએ કહ્યું કે સુરતકલ એક સંવેદનશીલ વિસ્તાર છે તેથી આ મામલો પોલીસના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. SDPI સર્કલનું નામ સાવરકરના નામ પર રાખવાનો પણ વિરોધ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્ણાટકમાંથી ઘણી સાંપ્રદાયિક ઘટનાઓ સામે આવી છે.