કચ્છની સરહદ હવે પાકિસ્તાની ઘૂસણખોરો માટે જાણે ખૂલ્લી થઇ ગઇ છે. અહીં પાકિસ્તાની ઘીસણખોરો આસાનીથી ભારતીય જળસીમામાં ઘૂસી રહ્યા છે.
– સામાન્ય રાતે ભારતીય જળ સીમામાં પહેલા નેવી પછી કોસ્ટગાર્ડ અને ત્યારબાદ મરીન પોલીસનું એન્ટીક્લોક વાઇજ પેટ્રોલીંગ ચાલતુ હોય છે. આમ છતાં નેવીનું પેટ્રોલીંગ ભેદીને 15 પાકિસ્તાનીઓ ગુજરાતના કચ્છના કિનારે ઘૂસી જવામાં સફળ થયા છે.
– ગઇ કાલે મોડી રાત્રે જખૌ પાસેથી ભારતીય જળસીમા માંથી ગુજરાતમાં ઘૂસી રહેલી બે પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડ આંતરીને પકડી પાડી ત્યારબાદ તપાસ કરાતાં બોર માંથી 15 લોકો મળી આવ્યા હતા. 15 પાકિસ્તાનીઓની તપાસ હાથ ધરી છે. આ ખરેખર માછીમારો છે કે ઘૂસણખોર એની પણ તપાસ હાથ ધરી છે.