બનાસકાંઠાના પાલનપુરનો વિકાસ નકશો રદ થતાં 15 જેટલા બિલ્ડરોને બાંધકામ સ્થગિત કરવા માટેની નોટીસ અપાઈ છે. અગાઉ રહેણાંક બાંધકામ માટે નગરપાલિકા દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી હતી.શરતી મંજૂરી હોવા છતાં બિલ્ડરોએ મોટાપાયે બાંધકામ કર્યું છે. પાલનપુર શહેરની નવી રહેણાંક સ્કીમના બાંધકામ સ્થગિત થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગની નવી મંજૂરી ન આવે ત્યાં સુધી બાંધકામની યથા સ્થિતિ જાળવી રાખવા નગરપાલિકાનો આદેશ છે.
Monday, April 29