હાલ સમગ્ર દેશ માં કોરોના વાઇરસનું સંક્રમણનો કેહેર યથાવત છે અને લોકો પોતાની સાળ સંભાડ રાખી રહ્યા છે અને સરકાર પણ પોતાના બધાજ પ્રયત્નો કરી ને જનતા ને સાથ સહકાર આપી રહી છે. માહે રમજાન નો મહિનો હવે પૂર્ણ થવાની અણી પર છે અને મુસ્લિમ સમાજ માં લોકો એ આ વર્ષે કોરોના મહામારી ના લઈને ઘરે રહી ને પરિવાર ની સાથે ઈબાદત કરી છે. આજે ચાંદ દેખાયો નથી એટલા માટે દિલ્હી જમા મસ્જિદ ના શાહી ઇમામ, સૈયદ અહમદ બુખારી સાહેબ એ જણાવ્યુ છે કે, કાયદા નું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને ઈદ મનાવી જોઇએ. લોકો ઈદ માં એક બીજા ને ગલે લાગી ને ઈદ મનાવે છે પણ અત્યારે કોરોનાની મહામારી ના લઈને બધા ના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે તેના માટે આપણે દૂર રહી ને સાવચેતી રાખી ને ઈદ માનવીએ તેજ મુસ્લિમ સમાજ ના આગેવાન નું કહવું છે.
Monday, May 20