વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. પીએમ મોદીએ સરકારને સૂચના આપી છે કે આગામી 1.5 વર્ષમાં 10 લાખ સરકારી ભરતી કરવામાં આવશે. આ કામ મિશન મોડમાં કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યાલયે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
વડા પ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલએ ટ્વિટ કર્યું, તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકારે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે મોદી સરકાર બેરોજગારીના મુદ્દે વિપક્ષના નિશાના પર છે.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના કાર્યકાળ દરમિયાન દેશમાં બેરોજગારી વધી છે. વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યું છે.
એપ્રિલની શરૂઆતમાં, પીએમ મોદીએ ટોચના સરકારી અધિકારીઓને મળ્યા હતા અને તેમને વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવાનું કહ્યું હતું જેથી તકોનું સર્જન થાય. ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, 1 માર્ચ, 2020 સુધીમાં કેન્દ્ર સરકારના વિભાગોમાં 87 લાખ પદ ખાલી હતા.