PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના રસ્તાઓ પર રોડ શો કરશે. આ રોડ શો લગભગ બે કિલોમીટર લાંબો હશે. આ રોડ શોમાં પીએમ યોગીની સાથે સીએમ યોગી પણ ભાગ લેશે.
ઈટાવાની રેલીમાં ધૂમ મચાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે.
રામલલાના દર્શન કર્યા બાદ તેઓ રોડ શો કરવાના છે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાત પહેલા જ બધું તૈયાર છે. પીએમ મોદી ખાસ રથ પર સવાર થઈને રામપથ પર રોડ શો કરશે. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. અંદાજે બે કિલોમીટર લાંબો રોડ શો લતા મંગેશકર ચોક ખાતે સમાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં અયોધ્યા પહોંચવાના છે. રોડ શોની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો સાંજે શરૂ થશે. આ રોડ શોમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે.