PM Modi: 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (04 મે)ના રોજ રામ લલ્લાના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા . રામલલાની પૂજા કર્યા બાદ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના થોડા દિવસો પહેલા ભગવાન રામના આ દર્શન કર્યા હતા.
ચૂંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા
અને વડાપ્રધાનના સ્વાગત માટે અયોધ્યાને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ગોલ્ડન કુર્તા-સફેદ પાયજામા અને ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. વડાપ્રધાને ‘સાષ્ટાંગ દંડવત’માં ભગવાન રામ લલ્લાની મૂર્તિને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. આ પછી, તેઓ બે કિલોમીટર લાંબા રોડ શો માટે નીકળ્યા, જ્યાં નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે દરેક જગ્યાએ લોકો એકઠા થયા હતા.
અયોધ્યામાં પીએમ મોદીનો રોડ શો
આ રોડ શો સુગ્રીવ કિલ્લાથી શરૂ થઈને લતા ચોક ખાતે સમાપ્ત થશે. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. આ પછી વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાનમાં ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર રવિવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. સંભલ, હાથરસ (SC), આગ્રા (SC), ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, આમલા અને બરેલીમાં 7 મેના રોજ મતદાન થવાનું છે.