નવી દિલ્હી : આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે વિદ્યાર્થીઓને નિર્માણમાં તેમના પ્રયત્નો માટે દેશ હંમેશા તેમના માટે આભારી રહેશે. આ પ્રસંગે, મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
Who better than our knowledgeable teachers to deepen our connect with our nation’s glorious history. During the recent #MannKiBaat, I had shared an idea of teachers teaching students about lesser known aspects of our great freedom struggle. #OurTeachersOurHeroes pic.twitter.com/rsJiU3juLA
— Narendra Modi (@narendramodi) September 5, 2020
વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં આપણા મહેનતુ શિક્ષકોના યોગદાન માટે આપણે હંમેશા આભારી રહીશું. શિક્ષક દિન નિમિત્તે, અમે આપણા શિક્ષકોના તેમના બેજોડ પ્રયત્નો બદલ આભાર માનીએ છીએ. ડો.રાધાકૃષ્ણનની જન્મજયંતિ દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શિક્ષકો કરતા વધુ કોણ દેશના ભવ્ય ઇતિહાસ સાથે આપણું જોડાણ કરી શકે છે. તેમણે લખ્યું કે શિક્ષકોએ બાળકોને આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસ વિશે માહિતગાર કર્યા છે. મેં ‘મન કી બાત’ કાર્યક્રમમાં એક સૂચન શેર કર્યું છે કે શિક્ષકોએ બાળકોને સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય નાયકોની વાર્તાઓથી વાકેફ કરાવવા જોઈએ. ‘